ગુજરાતના ફાયરબ્રાન્ડ આદિવાસી નેતા મનસુખ વસાવા ફરીએકવાર નિવેદનને લઇ ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વનકર્મીઓને ધમકાવી ફાયરિંગ કરવાના મામલામાં ચૈતર વસાવાના સમર્થકોએ આપેલા બંધન એલાનને સફળ બનાવવામાં ભાજપાના નેતાઓએજ ભૂમિકા ભજવી હોવાનો સાંસદે આક્ષેપ કર્યો છે.